ThE RESERVE Bank of india Going TO withdraw all currency notes, including Rs 500 and Rs 1000. Before March Ending.

To avoid panic, RBI said public has time to exchange the currencies for new notes before April 1

ThE RESERVE Bank of india on Wednesday announced it would withdraw after March 31 all currency notes issued before 2005, including those having higher denominations of Rs 500 and Rs 1,000.

“We expect people to turn up at their nearest bank branches to return the notes and take fresh ones,” said an RBI source.


૨૦૦૫ પહેલાંની ચલણી નોટો ૩૧ માર્ચ પછી નહીં ચાલે

કાળું નાણું-નકલી નોટો પાછી ખેંચવા અભિયાન,વાંચો કેટલી નોટો છે બજારમાં
રીઝર્વ બેન્કે 2005 પહેલાની નોટો પાછો ખેંચવાનો આદેશ આપ્યો છે,
૧લી એપ્રિલ સુધી બેંકનાં ખાતામાં નોટો જમા કરી શકાશે ઃ ત્યારબાદબેંકોનો સંપર્ક કરવો પડશે

૨૦૦૫ પછીની નોટમાં પાછળની સાઈડ પર બોટમમાં સેન્ટરમાં વર્ષ છપાયેલું હોય છે. ઉપરની નોટમાં લાલ સર્કલ દ્વારા એ દર્શાવ્યું છે. નીચેની નોટમાં બ્લેક સર્કલમાં વર્ષ દેખાતું નથી. આવી વર્ષ વગરની નોટો ૨૦૦૫ પૂર્વેની છે એવું આસાનીથી જાણી શકાય છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે રિઝર્વ બેન્કનો માસ્ટર સ્ટ્રોક
દેશમાં એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી નિર્ધારી છે ત્યારે વર્ષ ૨૦૦૫ પૂર્વેની ચલણી નોટો પાછી ખેંચવાનો રિઝર્વ બેન્કનો નિર્ણય ચૂંટણીમાં કાળા નાણાં હેરફેરમાં અટકાવી શકશે. સામાન્ય રીતે ચૂંટણીઓમાં ખાસ કરીને લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ નાણાંના જોરે લડાતી હોવાનું અનેક વેળા જોવાયું છે.
નોટો પાછી ખેંચવાનું સમયપત્રક યોગાનુયોગ ચૂંટણીના સમયગાળા સાથે જ આવી રહ્યું છે, ત્યારે રિઝર્વ બેન્કનો આ નિર્ણય ચૂંટણી પહેલા કાળા નાણાંને બહાર કાઢવા માટેનો પણ હોઈ શકે એવું બજારોમાં ચર્ચાઈ રહ્યું છે.
રાજકીય પક્ષો ચૂંટણી વેળા કાળા નાણાંની મોટે પાયે લેતીદેતી કરતા હોવાના અનેક કિસ્સા આ અગાઉ જોવા મળ્યા છે.

Source : Gujarat Samachar

Comments

Post a Comment